શું તમે પણ રાતના 12 વાગે જન્મદિવસ ઉજવો છો, તો આજેજ બંધ કરી દેજો નહીતો બરબાદ થઇ જશો, શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવેલ છે

Posted by

આજનાં જમાનામાં એક અજીબ પ્રથા ચાલી રહી છે કે રાતનાં ૧૨ વાગ્યે શુભકામનાઓ આપવી અને જન્મદિવસ ઉજવવો. પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં તેને અયોગ્ય પણ જણાવવામાં આવેલ છે. આજે અમે તમને અહીંયા જણાવવા જઈ રહ્યા છીએ કે હકીકતમાં આવું કરવું તમારા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આજકાલ કોઇ પણ બર્થ-ડે હોય લગ્નની વર્ષગાંઠ હોય અથવા તો અન્ય કોઈ અવસર હોય તો રાતના ૧૨ વાગ્યે કેક કાપવી નવો ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાને બદલે સમસ્યા ઉભી થઇ શકે છે.

શુભ માનવામાં નથી આવતો આ સમય

લોકોમાં રાત્રે બાર વાગે કાપવાને લઈને ઉત્સાહ રહેતો હોય છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે લોકો પોતાનો જન્મદિવસ ૧૨ વાગ્યે એટલે કે નિશીથ કાળમાં ઉજવે છે. નિશીથ કાળ રાત્રીનો તે સમય હોય છે જે સામાન્ય વાગે ૧૨ વાગ્ય થી ૩ વાગ્યા ની વચ્ચે નો હોય છે. સામાન્ય લોકો તેને મધ્યરાત્રી કહે છે. શુભ કાર્યો માટે આ સમય શુભ માનવામાં આવતો નથી.

 

ખરાબ શક્તિઓ થઈ જાય છે સક્રિય

શાસ્ત્રો અનુસાર અર્ધરાત્રિ નાં સમયે ધરતી પર ખરાબ શક્તિઓ સક્રિય થઈ જાય છે. આ સમયમાં આ શક્તિઓ વધારે રૂપથી પ્રબળ બની જાય છે. આપણે જ્યાં રહીએ છીએ, ત્યાં એવી ઘણી શક્તિ હોય છે જે આપણને જોવા મળતી નથી. પરંતુ આપણી ઉપર પ્રતિકુળ પ્રભાવ પાડે છે. જેના લીધે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.

 

આ સમયે કે કાપવી નુકસાનદાયક

જન્મદિવસની પાર્ટીમાં અવારનવાર લોકો તરત કાળમાં કેક કાપીને તેનું સેવન કરે છે. આવું કરવાથી અદ્રશ્ય શક્તિઓ વ્યક્તિના આયુષ્ય તથા ભાગ્ય માં ઘટાડો કરે છે અને દુર્ભાગ્ય તેના દ્વાર ઉપર આવી જાય છે. આ નકારાત્મક શક્તિઓ વ્યક્તિને ગંભીર રૂપથી બીમાર બનાવી શકે છે. આ પ્રકારની વાતો ધાર્મિક માન્યતાઓ કહે છે જોકે તેના વૈજ્ઞાનિક આધાર નથી.

 

આ ખાસ અવસર પર નિશીથ કાળ હોય છે શુભ

શાસ્ત્રો અનુસાર અમુક વિશેષ તહેવાર જેમ કે દિવાળી, નવરાત્રી, જન્માષ્ટમી તથા શિવરાત્રી પર નિશીથ કાળ મહાનનિશીથ કાળ બનીને શુભ પ્રભાવ આપે છે. જ્યારે અન્ય સમયમાં દુષ્યંત પ્રભાવ આપે છે. રાતના સમયે કંઈક આપવી અથવા આ પ્રકારની અન્ય ગતિવિધિઓથી દુષ્યંત પ્રભાવ તમારી ઉપર ખરાબ અસર પાડી શકે છે.

 

સુર્યોદયનો સમય હોય છે સૌથી વધારે શુભ

દિવસની શરૂઆત સુર્યોદયની સાથે થાય છે અને આ સમય ઋષિમુનિઓના તપનો સમય પણ હોય છે. એટલા માટે આ કાળમાં વાતાવરણ શુદ્ધ અને નકારાત્મકતાવિહીન હોય છે. તેવામાં શાસ્ત્રો અનુસાર સુર્યોદય થયા બાદ જ વ્યક્તિને બર્થ ડે વિશ કરવી જોઈએ કારણ કે રાતના સમયે વાતાવરણમાં રજ અને તમ ઘણો ની માત્રા હોય છે અને તે સમયે આપવામાં આવેલી શુભકામનાઓ ફળદાયી નથી હોતી, પરંતુ પ્રતિકુળ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *