સામાન્ય રીતે તો ઊંઘ માં ઘણા બધા લોકોને સપના આવતા હોય છે. પરંતુ તેમાંથી અમુક સપના એવા હોય છે જે તમારા નસીબ સાથે જોડાયેલા હોય છે. જી હાં, સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે સપના નસીબ સાથે જોડાયેલા હોય છે, તે વ્યક્તિનું નસીબ ચમકાવી શકે છે. એજ કારણ છે કે સ્વપ્ન શાસ્ત્રમાં આ સપનાઓને ખુબ જ ખાસ માનવામાં આવે છે. જણાવી દઈએ કે વ્યક્તિના નસીબને ચમકાવી આપે છે આ પ્રકારના સપના અને જો તમને પણ આવા સપના આવે છે તો જરૂરથી તમારા નસીબ પર લાગેલા તાળા ખુલી જવાના છે.
જોકે એવું કહેવામાં આવે છે કે આ સપના જોયા બાદ તમારે તેનો ઉલ્લેખ કોઈ સાથે કરવો જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી તે સપના પુરા થતા નથી અને તેનું શુભ ફળ મળી શકતું નથી. તો ચાલો હવે આ સપના વિશે વિસ્તારપુર્વક જાણીએ.
આવા સપના જોવા માનવામાં આવે છે શુભ
જો તમે પોતે ગાયની સેવા કરતા હોય તેવું સપનું જુઓ છો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે જે વ્યક્તિ આ પ્રકારનું સપનું જોઈ રહ્યો છે, તેનું ભાગ્ય ચમકી જવાનું છે. જણાવી દઈએ કે આવું સપનું જોયા બાદ ગાયને લીલો ઘાસચારો જરૂરથી આપવો જોઈએ અને તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના સપના વિશે કોઈને ઉલ્લેખ કરવો નહીં.
છાણથી ઘર લીપતા હોય એવું સપનું જોવું પણ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર વ્યક્તિને આ પ્રકારના સપના ભાગ્યે જ આવે છે. તે સિવાય એવું માનવામાં આવે છે કે આ પ્રકારના સપના જોયા બાદ કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ફળનું દાન કરવું જોઈએ. તેનાથી તમારું નસીબ બદલી જાય છે.
મહત્વપુર્ણ છે કે જો ઘરનાં આંગણામાં મોર નાચતો જોવા મળે તો આવા સપનાનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ પ્રકારનું સપનું જોવાથી ભાગ્ય ચમકી જાય છે. વળી જે લોકોને આ પ્રકારનું સપનું આવે છે, તેમણે કષ્ટદાયક દર્દીઓને તેલ જરૂરથી દાન કરવું જોઈએ.
શું તમને ક્યારેય આ પ્રકારના સપના આવે છે
જણાવી દઈએ કે સપનામાં કેળાનું વૃક્ષ જોવું પણ ખુબ જ લાભકારી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રકારનું સપનું જોયા બાદ પીળા ભોજનનું દાન અવશ્ય કરવું જોઈએ. કારણ કે આ સપનું ભાગ્ય બદલવા માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. વળી તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે પોતાના સપના વિશે ભુલથી પણ કોઈને જણાવવું નહીં.
જો તમે સપનામાં દરવાજો ખુલતા જુઓ છો તો તેનો સીધો મતલબ છે કે તમારા નસીબ નાં દરવાજા ખુબ જ જલદી ખુલી જવાના છે. આ પ્રકારનું સપનું જોવું ખુબ જ સારું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સપનામાં દરવાજા ખુલતાં જોવા મળે તો નસીબનાં બંધ દરવાજા પર ખુલવા લાગે છે. જણાવી દઈએ કે આ પ્રકારનું સપનું જોયા બાદ કોઈ જરૂરિયાત વ્યક્તિને પીળા અથવા નારંગી રંગના વસ્ત્ર દાન કરવા જોઈએ.