ભગવાનને મોટાભાગે લોકો પ્રસાદમાં મીઠાઈ અને ફળનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે પણ ભગવાનનાં પુજા-પાઠ કરવામાં આવે છે તો તેમાં ડુંગળી અને લસણને દુર રાખવામાં આવે છે. તમે જોયું હશે કે નવરાત્રિમાં મોટાભાગનાં લોકો ડુંગળી અને લસણનું સેવન કરતા નથી. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તેની પાછળનું કારણ શું છે? આ વાતને માને તો બધા છે પણ ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે આવું શા માટે કરવામાં આવે છે. બાકી બધા લોકો તો બસ એવું જ જાણે છે કે આવું ન કરવું જોઇએ.
જ્યારે પણ ભગવાનને ભોગ લગાવવાની વાત આવે છે તો આપણે તેમને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસીએ છીએ, જેથી આપણે કોઈ પાપ માં ન પડીએ અને આપણો ધર્મ ભ્રષ્ટ ન થાય. આજની આ પોસ્ટ અમે તમને જણાવીશું કે આખરે શા કારણ ને લીધે ભગવાનને લસણ અને ડુંગળી નો ભોગ લગાવવામાં આવતો નથી.
આ કારણને લીધે નથી લગાવવામાં આવતો ડુંગળી અને લસણ ભોગ
જણાવી દઈએ કે ભગવાને ડુંગળી અને લસણનો ભોગ એટલા માટે લગ્ન નથી આવતો કારણ કે શાસ્ત્રોમાં તેને સાત્વિક ભોજન માનવામાં આવેલ નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળી અને લસણનું સેવન કરવાથી વ્યક્તિને ગુસ્સો ખુબ જ જલદી આવી જતો હોય છે અને તેની પ્રવૃત્તિ રાક્ષસી બની જાય છે. એટલા માટે અમુક લોકો તો પોતાના ભોજનમાં પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતા નથી.
એટલું જ નહીં અમુક લોકો તો લસણ અને ડુંગળીને અપવિત્ર સમજે છે. તેમનું માનવું છે કે જે વ્યક્તિ તેનું સેવન કરે છે તે અપવિત્ર બની જાય છે. એવી પણ માન્યતા છે કે તેનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મકતા ઉત્પન્ન થવા લાગે છે. લસણ અને ડુંગળીનું સેવન કરવાથી હંમેશા નકારાત્મક વિચારો આવવા લાગે છે. આ કારણને લીધે લોકો ભગવાનને લસણ અને ડુંગળી નો ભોગ લગાવતા નથી.
માન્યતા સાથે જોડાયેલ છે એક પૌરાણિક કથા
ભગવાનને ડુંગળી અને લસણનો ભોગ ન લગાવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથનના સમયે રાહુ અને કેતુ એ દગો આપીને અમૃતનું સેવન કરી લીધું હતું. જ્યારે આ વાતની જાણ ભગવાન વિષ્ણુને થઈ તો તેમણે બંને માથા ધડથી અલગ કરી નાખ્યા હતા. પરંતુ અમૃતનું સેવન કરવાને લીધે તેમના માથા જીવિત હતા. એટલે કે તેઓ મૃત્યુ પામ્યા નહીં. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ બંનેનું માથું કાપી નાખ્યું તો લોહીના ટીપા જમીન પર પડ્યા અને આ લોહીના ટીપા માંથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ.
જોકે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો લસણ અને ડુંગળીનાં અઢળક ફાયદા છે. કારણ કે રાહુ અને કેતુ એ અમૃતનું સેવન કરેલું હતું એટલા માટે તેમાં અમૃતનો પણ અંશ રહેલો છે. તેમાં ઘણા રોગો સામે લડવાની ક્ષમતા મળી આવે છે. કારણ કે તેનું નિર્માણ અમૃતથી થયેલું છે. પરંતુ રાક્ષસથી ઉત્પન્ન થયેલા હોવાને લીધે તેને ભગવાનને ચઢાવવામાં આવતા નથી. વળી અમુક લોકોનું માનવું છે કે લસણ અને ડુંગળીનું સેવન કરવાથી વ્યક્તિનું મન પુજા-પાઠ માંથી ભટકી જાય છે.