હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખુબ જ મહત્વ છે. તુલસીનાં છોડને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તુલસી ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે. તુલસીનાં પાન વગર ભગવાન વિષ્ણુની પુજા માં પ્રસાદ ચઢાવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે તુલસીને જળ ચડાવવું ખુબ જ શુભ હોય છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. વળી શું તમે જાણો છો કે તુલસી પર જળ ચડાવતા સમયે એક મંત્રનો જાપ કરવાનું હોય છે, જેથી ઘરમાં ધન-ધાન્ય હમેશા ભરેલું રહે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર તુલસીને જળ ચડાવતા સમયે “ૐ” મંત્રનો ૧૧ અથવા ૨૧ વખત જાપ કરવાથી ખરાબ નજર માંથી મુક્તિ મળે છે. તેનાથી ઘરમાં ધન અને અન્નની વૃદ્ધિ થાય છે.
જીવનમાં સફળતા મેળવવા માટે महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी, अधिक व्याधि हर नित्यं, तुलसी त्वम नमोस्तुते। (O सुभद्राय नमः, मतस्तुलसि गोविंद हृदयानंद करिणी, नारायणस्य पुजारथम चिनोमि त्वन नमस्तुते) મંત્રનો જાપ કરો. તેનાથી તમારી પ્રગતિનાં નવા રસ્તાઓ ખુલી જશે.
ભગવાન વિષ્ણુની પુજા માં તુલસી ના પાન ચડાવવા જરૂરી હોય છે. એટલા માટે તુલસીના પાન તોડતા સમયે ॐ सुभद्राय नम:, मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी,नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते।। મંત્રનો જાપ કરો. તેનાથી પુજાનું ફળ બમણું મળશે.
જો તુલસીના પાન તોડતા સમયે ॐ सुप्रभाय नमः મંત્રનો જાપ કરવામાં આવે તો તેનાથી દોષ લાગતો નથી અને સાથોસાથ વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ધનપ્રાપ્તિ માટે मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी, नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।। મંત્રનો જાપ કરો. તેનાથી ભગવાન વિષ્ણુ તથા માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી.
તુલસીની પુજા કરતા સમયે શુદ્ધ દેશી ઘી નો દીવો અવશ્ય પ્રગટાવો. તેનાથી ઘરમાં સકારાત્મકતા વધશે, સાથોસાથ ઘરમાં સમૃદ્ધિ નું આગમન થશે.
જો કોઈ ને નજર લાગી ગઇ હોય તો તેના માથાથી લઈને પગ સુધી ૭ તુલસીનાં પાન અને ૭ મરીનાં દાણા લઈને ૨૧ વખત ઉતારી લો. ત્યાર બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો. તેનાથી ખરાબ નજર માંથી છુટકારો મળી જશે.