માતા લક્ષ્મીની જે લોકો ઉપર કૃપા થાય છે તે લોકોને આખી જિંદગી સુખ, શાંતિ અને ખુશહાલી થી પસાર થાય છે. આવા લોકોની પાસે અઢળક ધન વૈભવ હોય છે અને જીવનમાં ક્યારેય પણ કોઈ ચીજની કમી રહેતી નથી. આવા લોકો ખુબ જ સન્માન પણ મેળવે છે. એટલા માટે બધા લોકોએ માં લક્ષ્મીની પુજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. આજે અમે તમને અમુક એવા મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે માં લક્ષ્મીને જલ્દી પ્રસન્ન કરીને તેમની કૃપા મેળવી શકો છો. આ મંત્રોને ખુબ જ પ્રભાવી માનવામાં આવે છે અને મંત્રનો જાપ કરવાથી તુરંત તેની અસર જોવા મળે છે.
કરજમાંથી મુક્તિ મેળવવાનો મંત્ર
એવા લોકો જે કોઈ કારણને લીધે કરજના બોજ હેઠળ દબાયેલા છે અને તેમાંથી છુટકારો મેળવી શકતા નથી, તો તેમણે દરરોજ ऊं ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा’ મંત્રનો જાપ કરવો જોઈએ. ખુબ જ જલ્દી તમને કરજમાંથી મુક્તિ મળી જશે.
ધન પ્રાપ્તિ નો મંત્ર
જો તમે પોતાના ઘરને ધન-ધાન્યથી કરવા માંગો છો તો સ્ફટિકની માળાથી ‘पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्’ મંત્રનો જાપ કરો. આ મંત્ર નો જાપ કરવાથી તમારી ઉપર મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનના ભંડાર ભરી આપે છે.
સફળતા મેળવવાનો મંત્ર
જીવનમાં ખુબ જ સફળતા મેળવવા માટે તમારે ‘ऊं श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી કોઇપણ જગ્યાએ સફળતા મેળવવામાં મુશ્કેલી આવતી નથી.
આર્થિક સંકટમાંથી છુટકારો મેળવવાનો મંત્ર
જો તમે આર્થિક રૂપથી સંકટમાં ફસાઈ ગયેલા છો અને તમામ કોશિશો કરવા છતાં પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નથી થઈ રહ્યો, તો તમારે ‘धनाय नमो नम:’ और ‘ऊं धनाय नम:’ મંત્રનો જાપ કમળગટ્ટાની માળાથી કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમને ખુબ જ જલ્દી રાહ જોવા મળશે.
માં લક્ષ્મીજીની કૃપા મેળવવાનો મંત્ર
જો તમે ઈચ્છો છો કે મા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે તો ઘાસના આસન ઉપર બેસીને “ૐ લક્ષ્મી નમઃ” મંત્રનો જાપ કરો.
શુભ કાર્યમાં સફળતા મેળવવાનો મંત્ર
કોઈપણ શુભ કાર્ય કરવા અથવા કોઈ મહત્વ પણ કામ માટે ઘરેથી બહાર નિકળતા પહેલા ‘ऊं ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:’ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.
પતિ-પત્નીના સંબંધોને મજબુત કરવાનો મંત્ર
પતિ-પત્નીના સંબંધને મજબુત કરવા માટે “લક્ષ્મી નારાયણ નમઃ” મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે અને ક્યારેય પણ કડવાશ ઊભી થતી નથી.