કરોડોનું દેવું માથે હશે તો પણ ફટાફટ ઉતરી જશે, બસ હનુમાનજી ના મંદિરમાં આજેજ ચડાવી દો આ 1 વસ્તુ

Posted by

જીવનમાં દરેક વ્યક્તિ ધન સંપત્તિ અને પૈસા કમાવા માંગે છે, પરંતુ અમુક લોકો અઢળક મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. પૈસા કમાવવા છતાં પણ કોઈને કોઈ જગ્યાએ પૈસા ખર્ચ થઈ જાય છે અને જરૂરિયાત પડવા પર પૈસા ઉછીના લેવા પડે છે અથવા તો લોન લેવી પડે છે. તેવામાં લોકો વિચારતા હોય છે કે તેઓ પૈસાની આવક થવા પર કરજ ચુકવી દેશે. પરંતુ કોઈને કોઈ કારણ ને લીધે આવું શક્ય બનતું નથી અને તેઓ કરજમાં ડુબતા ચાલ્યા જાય છે. જો તમે પણ કરજમાં ડુબેલા છો તો તેનાથી મુક્તિ મેળવવા માટેના ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા છે.

 

જો કોઈ વ્યક્તિને અઢળક મહેનત અને કોશિશ કરવા છતાં પણ કરજ માંથી છુટકારો મળતો ન હોય તો તેને આ વિશેષ ઉપાય જરૂરથી અપનાવવા જોઈએ. જો તમે કરજ માંથી છુટકારો મેળવવા માંગો છો તો પોતાના જીવનમાં એક નિયમ જરૂરથી બનાવી લો. દરરોજ કીડીઓને ભોજન આપવું જોઈએ. તેના માટે તમારે દરરોજ લોટમાં ખાંડ ઉમેરીને અથવા તો તેની પંજરી બનાવીને કોઈ વૃક્ષ ની નીચે અથવા તો જ્યાં કીડીઓનું ઘર હોય ત્યાં ભોજન નાખવું જોઈએ. આ ઉપાય ખુબ જ કારગર છે અને તેના દ્વારા તમે કરજમાંથી મુક્તિ પણ મેળવી શકો છો.

 

તે સિવાય શિવલિંગ ઉપર દરરોજ લાલ રંગના ફુલ અર્પિત કરવાથી પણ કરજમાંથી મુક્તિ મળે છે. તેના માટે દરરોજ સવારે શિવ મંદિરમાં જવું અને શિવલિંગ ઉપર લાલ રંગના ફુલ અર્પિત કરો અને સાથોસાથ જળ પણ ચડાવો. આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જાતકને કર્જ સંબંધિત સમસ્યા માંથી છુટકારો મળે છે.

 

કરજ માંથી મુક્તિ મેળવવા માટે ધનની દેવી માં લક્ષ્મીનું પુજન અવશ્ય કરો. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ૐ શ્રીં હ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મંત્રનો જાપ કરો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો. આવું કરવાથી માં લક્ષ્મીનાં આશીર્વાદ મળે છે અને કરજમાંથી છુટકારો પણ મળે છે.

 

જો તમે કરજની ચિંતાથી વધારે પરેશાન છો તો શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે લોટનો ચારમુખી દીવો સરસવનું તેલ ઉમેરીને પ્રગટાવો. ત્યારબાદ ભગવાન પાસે કરજ માંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો. માનવામાં આવે છે કે શનિવારના દિવસે પીપળા ઉપર બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે અને તેનાથી તમારી મનોકામના પુરી થાય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે.

 

કરજ અને લોન માંથી મુક્તિ મેળવવા માટે તમારે ઘરના મુખ્ય દરવાજા ઉપર ભગવાન ગણેશજી ની બે મુર્તિ લગાવવી જોઈએ. એક મુખ્ય દરવાજા ઉપર અને બીજી મુખ્ય દરવાજા પર ઘરની અંદરની તરફ બંને મુર્તિઓની પીઠ એકબીજા થી જોડાયેલી હોવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને કરજમાંથી ધીરે ધીરે રાહત મળવા લાગે છે. તમારે દરરોજ લાલ મસુરની દાળનું દાન કરો અને મંગળવારના દિવસે શિવલિંગ ઉપર મસુરની દાળ અને જળ અર્પિત કરો. ત્યારબાદ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ” મંત્રનો જાપ કરો. તેનાથી તમને કરજ અને લોનમાંથી ધીરે ધીરે મુક્તિ મળી જશે.

 

કરજ મુક્તિ માટે સુર્યદેવને જળમાં કંકુ ચોખા અને લાલ ફુલ ઉમેરીને અર્ધ્ય આપો. સાથો સાથ આદિત્યાય નમઃ” મંત્રનો જાપ કરતા રહો. સુર્યદેવ પાસે કરજ મુક્તિ માટે પ્રાર્થના કરો. આવું કરવાથી તમારી બધી સમસ્યા દુર થઈ જશે. માતા લક્ષ્મી તમને કરજ માંથી મુક્તિ અપાવી શકે છે. તેના માટે તમારે માં લક્ષ્મી ને સફેદ ચીજો જેમ કે ચોખા માંથી બનેલી ખીર અને દૂધ માંથી બનેલ પકવાનનો ભોગ લગાવો જોઈએ. ત્યારબાદ આ ભોગને ઘરમાં સૌથી મોટી મહિલાને આદર સહિત ખવડાવો અને બધાને પ્રસાદના રૂપમાં આપો અને પોતે પણ તેનું સેવન કરવું. તેનાથી તમારા ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા થશે અને ધીરે ધીરે તમારું બધું કરજ ઉતરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *