આજે અમે તમને એવા જ સંકેતો વિશે જાણીશું જે શનિવારે જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે અને એ સંકેતો સૂચવે છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે.
આપણા હિંદુ ધર્મમાં દરેક દીવ કોઈના કોઈ દેવી દેવતાને સમર્પિત છે અને શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. આપણા હિંદુ ધર્મ અનુસાર જ્યારે પણ કોઈ દેવી-દેવતા તેમના ભક્તો પર પ્રસન્ન અથવા નારાજ થાય છે, ત્યારે તેઓ તેને અનેક પ્રકારના સંકેતો આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ વ્યક્તિનો શુભ સમય શરૂ થાય તે પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. એમ જ જ્યારે પણ ખરાબ સમય શરૂ થાય તે પહેલાં, તેને અગાઉથી સંકેતો મળવા લાગે છે. એવામાં જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો જીવનમાં આવતી મોટી સમસ્યાઓથી બચી શકાય છે. આજે અમે તમને એવા જ સંકેતો વિશે જાણીશું જે શનિવારે જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે અને એ સંકેતો સૂચવે છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે.
શનિવારે આ વસ્તુઓ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારે રસ્તામાં ઘોડાની નાળ જોવા મળે તો તે વ્યક્તિએ સમજવું કે તેના આવનાર સમય માટે શુભ સંકેત છે. રસ્તામાં મળેલ ઘોડાની નાળને ઘરે લાવો અને તેને લટકાવી દો આમ કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે અને જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓ દૂર થશે.
શનિવારે કાગડાને જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે શનિવારે કાગડો પાણી પીતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે એનએ એમ પણ કહેવાય છે કે આ દિવસે ઘરની છત પર બેઠેલો કાગડો જોવો પણ શુભ માનવમાં આવે છે.
એવી માન્યતા છે કે શનિવારના દિવસે સવારે કાળો કૂતરો જોવો પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને કૂતરો શનિ મંદિર પાસે જોવા મળે તો તેને ખાવા માટે રોટલી ચોક્કસ આપવી જોઈએ આમ કરવાથી શનિદેવની કૃપા જળવાઈ રહે છે.
જો તમે શનિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને તમને કાળી ગાય દેખાય તો સમજી લેવું કે તમારું કામ થઈ જશે. બીજી તરફ જો આ દિવસે ઘરના દરવાજે કાળી ગાય આવે તો સમજવું કે દુખમાંથી મુક્તિ મળવાની છે.
શનિવારે પીપળાનું વૃક્ષ જોવાનું પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનો અર્થ એ છે કે તમારા પર શનિદેવની કૃપા છે અને તેનાથી તમને તમારા કાર્યોમાં સફળતા મળશે.
આ સાથે જ સાધુ અથવા ગરીબ વ્યક્તિ માટે શનિવારે ઘરના દરવાજા પર આવવું પણ સારું માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાય છે કે આ દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પરત ન કરવા દેવું જોઈએ.