જો તમને ઘરમાં ગરોળી દેખાય તો તરત જ તેના પર આ વસ્તુનો છંટકાવ કરો, ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગશે.

Posted by

કેટલાક લોકો તેમના ઘરમાં ગરોળી જોઈને ડરી શકે છે. પરંતુ તેઓ કદાચ જાણતા ન હોય કે ગરોળીને ખરેખર ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે, ખાસ કરીને જ્યોતિષ અને શાસ્ત્રોમાં. ભારતમાં કેટલાક મંદિરોમાં લોકો ગરોળીની પૂજા પણ કરે છે. શ્રી રંગમ રંગનાથ સ્વામી મંદિરમાં ગરોળીની છબી પણ છે. એવું કહેવાય છે કે ગરોળી જોવાથી તમારા સૌભાગ્યની માત્રા બમણી થઈ જાય છે. આજે અમે તમને ગરોળી સાથે જોડાયેલા એક ખાસ અને ભાગ્યશાળી ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ધન અને વિપુલતાની આશીર્વાદ આપશે.

 

ગરોળી દેખાવી શુભ કે અશુભ

ઘરમાં સામાન્ય રીતે મળી આવતી ગરોળી ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે સંકેત આપે છે. શુકન શાસ્ત્ર અનુસાર દિવસમાં ભોજન કરતાં સમયે જો ગરોળી નો અવાજ સાંભળવા મળે તો ખુબ જ જલ્દી શુભ સમાચાર મળી શકે છે અથવા તો કોઈ શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે.

 

જો ગરોળી લડતી જોવા મળે તો કોઈ સાથે ઝઘડો થઈ શકે છે અને જો અલગ થતી જોવા મળે તો કોઈ પ્રિય વ્યક્તિ સાથે વિરહનું દુઃખ સહન કરવું પડે છે. તેની સાથે જ દિવાળી જેવા તહેવાર પર ગરોળી જોવા મળે તો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. પરંતુ આજે અમે તમને ગરોળીનો જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી ખુબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તમારી પૈસાની પરેશાનીઓથી ખતમ થઇ જાય છે.

 

ગરોળી જોવા મળે તો કરો આ ઉપાય

તેના માટે તમારે બસ એટલું કરવાનું છે કે જ્યારે પણ તમને તમારા ઘરની દિવાલ પર કોઇ ગરોળી જોવા મળે તો તુરંત મંદિરમાં અથવા ભગવાનની મુર્તિ પાસે રાખેલ કંકુ અને ચોખા લઇ આવો અને તેને દુરથી જ ગરોળી પર છંટકાવ કરો. આવું કરતા સમયે પોતાના મનની મનોકામના પણ મનમાં બોલો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે તમારી તે મનોકામના પુર્ણ થાય. હકીકતમાં શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ગરોળીની પુજાથી ધન સંબંધિત સમસ્યાઓનો અંત થઈ જાય છે અને ધનપ્રાપ્તિ નાં નવા માર્ગ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *