તમે જોયું હશે કે ઘણા લોકો પોતાની દુકાન, વાહન અને ઘરના દરવાજાની બહાર લીંબુ અને મરચાં લટકાવીને રાખે છે. અમુક લોકો તેને અંધવિશ્વાસ પણ માને છે તો અમુક લોકો આ પ્રથાઓને પોતાના વિકાસ અને પરેશાનીથી બચવા માટે અપનાવે પણ છે. વળી અમુક લોકો પોતાના દુકાન નાં દરવાજા પર તો અમુક લોકો પોતાના ઘરનાં દરવાજા પર ખરાબ શક્તિઓથી બચવા માટે લગાવે છે.
ખરાબ નજરથી બચાવવાનું કરે છે કામ
એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. જાણકારો જણાવે છે કે લીંબુ ની ખટાશ અને મરચાની તીખાશ ખરાબ નજર નાં પ્રભાવને ઓછો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? જો તમે નથી જાણતા, તો ચાલો અમે તમને તેની પાછળ રહેલું વૈજ્ઞાનિક કારણ જણાવીએ.
જાણો તેની પાછળનું વિજ્ઞાન
લીંબુ મરચા ને દરવાજા પર લટકાવવા પાછળ વિજ્ઞાન પણ છે. હકીકતમાં જ્યારે આપણે લીંબુ અને મરચાં જેવી ચીજો જોઈએ છીએ તો મનમાં તેનો સ્વાદ મહેસુસ થવા લાગે છે. જેના કારણે વધારે સમય સુધી તેને જોઈ શકતા નથી અને ત્યાંથી તરત આપણું ધ્યાન હટી જતું હોય છે.
સ્વાસ્થ્યને પણ કરે છે રક્ષા
તે સિવાય સ્વાસ્થ્યનાં દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો લીંબુ અને મરચું બંને સ્વાસ્થ્ય માટે લાભદાયક રહે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો લીંબુ વધારે ખાતું અને મરચું વધારે તીખું હોય છે અને જ્યારે તે પ્રવેશ દ્વારમાં હોય છે તો તેની તીવ્ર ગંધ થી મચ્છર માખી અને જીવજંતુઓ ઘરમાં પ્રવેશ કરી શકતો નથી અને તેનાથી વાતાવરણ શુદ્ધ રહે છે અને આપણા સ્વાસ્થ્યની રક્ષા થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં પણ છે મહત્વ
લીંબુ મરચા માં કીટનાશક ગુણ હોય છે, જેને ઘરના દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે. જે જગ્યાએ લીંબુનો છોડ હોય છે, તેની આસપાસનું સ્થાન બિલકુલ શુદ્ધ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ જે ઘરમાં લીંબુનો છોડ હોય છે તે ઘર બિલકુલ શુદ્ધ માનવામાં આવે છે. લીંબુ ની અંદર નેગેટિવ એનર્જીને નષ્ટ કરીને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરવાની પણ ક્ષમતા હોય છે.