માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો ઘરમાં માં લક્ષ્મીની મુર્તિ લગાવે છે. તેની નિયમિત રૂપથી પુજા કરે છે, વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી પુજા પાઠ કરે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીનો ફોટો લગાડવાથી ઘરમાં પૈસાની કમી થતી નથી. સાથોસાથ ઘણાં પ્રકારનાં સંકટ પણ દુર રહે છે. કહેવામાં આવે છે કે માં લક્ષ્મીને સાફ-સફાઈ પસંદ હોય છે. જેના ઘરમાં ગંદકી હોય છે, ત્યાંથી માં લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે. એટલા માટે ઘરમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પાંચ અદભુત ફોટો લગાવી શકાય છે, જેનાથી તમારા પરેશાનીના દિવસો ખતમ થઇ જશે.
હાથીની સાથે નો ફોટો
ઘણા ફોટોમાં માતા લક્ષ્મી વાહન ઘુવડ સાથે હોય છે, પરંતુ ઘણા ફોટોમાં માતા લક્ષ્મીની સાથે હાથી હોય છે. માતા લક્ષ્મીની સાથે હાથી ની હાજરી નો અર્થ જળ અને જીવનનું નિરંતર પ્રવાહ થવું છે. ઘરમાં માં લક્ષ્મી નો હાથી વાળો ફોટો લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશાં જળવાઇ રહે છે.
સુંઢ માંથી પાણી વરસાવતો હાથી
ઘણી વખત માતા લક્ષ્મીની પ્રતિમાને ની પાસે હાથી પોતાની સુંઢ માંથી જળ વરસવતો નજર આવે છે. કહેવામાં આવે છે કે માં લક્ષ્મીની આ તસ્વીર ઘરમાં લગાવવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સંપત્તિનો વિકાસ થાય છે. સાથોસાથ આવકના નવા રસ્તા પણ ખુલી જાય છે.
હાથી પણ છે માં લક્ષ્મીનું વાહન
તે વાત ખુબ જ ઓછા લોકો જાણે છે કે માં લક્ષ્મીનું વાહન ઘુવડ ની સાથે સાથે હાથી પણ છે. માન્યતા છે કે માતા લક્ષ્મી ની હાથી વાળી તસ્વીર ઘરમાં લગાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
કમળનું ફુલ છે પસંદ
માં લક્ષ્મીને કમળનું ફુલ ખુબ જ પ્રિય છે. કહેવામાં આવે છે કે ઘરમાં કમળ ઉપર બિરાજમાન માં લક્ષ્મીની તસ્વીર લગાવવાથી વ્યક્તિની આર્થિક સમસ્યા દુર થઈ જાય છે. આવક માટેના નવા રસ્તા ખુલે છે અને વ્યક્તિ કરોડપતિ બની જાય છે.
લક્ષ્મીજીની મોટી બહેન છે અલક્ષ્મી
શાસ્ત્રોમાં લક્ષ્મીજીની મુર્તિ બહેન અલક્ષ્મીનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે જે ઘરમાં લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પુજા કરવામાં આવે તો તે ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થતો નથી. તે ઘરમાં હંમેશા માં લક્ષ્મીનો વાસ રહે છે.